સ્વામિનારાયણ સંપ્રદાયે દ્વારકાના જગત મંદિરમાં ધ્વજારોહણ કર્યું

Wednesday 02nd June 2021 07:20 EDT
 
 

અમદાવાદ: સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સૌપ્રથમ વાર દ્વારકાના જગત મંદિરમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું છે. આ સિવાય એસજીવીપી ગુરુકૂળ રીબડા ખાતે કોરોનાના મૃતકોની શાંતિ માટે ૨૧ દિવસના અનુષ્ઠાન અને મંત્રો દ્વારા હોમાત્મક યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
૨૧ દિવસ સુધી દરરોજ સંતો દ્વારા ૫૧ હજાર સ્વામિનારાયણ મંત્રો દ્વારા યજ્ઞનારાયણ આહુતિ આપવામાં આવી હતી. પૂર્ણાહુતિ પ્રસંગે ગુરુકૂળના પરિસરમાં આવેલા ઘેઘુર વડલા નીચે ઠાકોરજીને આમ્રફ્રૂટ અને ૧૦૧ વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ સંતો-હરિભક્તોએ નદીમાં સ્નાન કર્યા બાદ ૫૨ ગજની ધ્વજા સાથે મંદિર પરિસરમાં શોભાયાત્રા કાઢી હતી. દ્વારિકાધીશ સમક્ષ ધ્વજાનું પૂજન કરી મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.


comments powered by Disqus