અમદાવાદ: ૧ જૂનથી દેશમાં ફ્લાઇટોના ભાડામાં વધારો થયો છે. હાલની પરિસ્થિતિમાં ફ્લાઇટો પેસેન્જર ન મળતા તમામ એરલાઇન્સની આર્થિક સ્થિતિ કથળી હોવાથી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ડોમેસ્ટિક ફ્લાઇટના લોઅર બેઝ ફેરમાં ૧૩થી ૧૬ ટકા સુધીનો વધારો જાહેર કરતાં પેસેન્જરોને રૂ.૩૦૦થી લઇને ૧૫૦૦ સુધીનો વધારો ભોગવવો પડશે. આ અગાઉ સરકાર ફેબ્રુઆરીમાં પણ બેઝ ફેરમાં ૧૦થી ૩૦ ટકા સુધીનો વધારો કર્યો હતો.
સરકારે બહાર પાડેલા આદેશ મુજબ બેઝ ફેર માટે સાત સ્લેબ બનાવાયા છે. જેમાં ૪૦ મિનિટ સુધીની મુસાફરી માટે, ૪૦થી ૬૦ મિનિટની મુસાફરી માટે, ૯૦થી ૧૨૦ મિનિટની મુસાફરી માટે, ૧૨૦થી ૧૫૦ મિનિટની મુસાફરી માટે, ૧૫૦થી ૧૮૦ મિનિટની મુસાફરી માટે તેમજ ૧૮૦થી ૨૧૦ મિનિટની મુસાફરી માટે અલગ અળગ લોઅર સ્લેબ જાહેર કરાયા છે. બેઝ ફેરમાં ૧૩થી ૧૬ ટકાના વધારા ઉપરાંત પેસેન્જરોને અન્ય ટેક્સ મળી ટિકિટ દીઠ રૂ.૩૦૦થી ૧૫૦૦ સુધી વધુ ચૂકવવા પડશે.