આણંદ: વડોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો. ઝૂબેર ઠાકોરે એક અલગ જ ઝુંબેશ હાથ ધરી છે. તેઓ કોરોના સંક્રમણથી સાજા થયેલા દર્દીઓને પ્લાઝમા ડોનેટ કરવા સમજાવે છે. તેમના આ પ્રયત્નોથી આણંદ જિલ્લામાં પ્રથમ પ્લાઝમા ડોનેશન કેમ્પ સંભવ બન્યો હતો.
૨જીમેએ યોજાયેલા આ કેમ્પ માટે ૭૦૦ જેટલી વ્યક્તિનો સંપર્ક કરાયો હતો. આ કેમ્પમાં ૫૦ યુનિટ રક્ત એકત્ર થયું હતું.આણંદના સાંસદ મિતેષ પટેલ, પ્રદ્યુમન છાસટીયા, તેમજ સી.સી.ઓ અરુણ રોહિત સહિત ૫૦ વ્યક્તિઓએ આ કેમ્પમાં રક્તદાન કર્યું હતું. સાંસદ મિતેષ પટેલે જણાવ્યું હતું કે, તેઓ આ કેમ્પમાં વિઝીટમાં આવ્યા હતા. ડો.ઝૂબેર ઠાકોરે પ્લાઝમા વિશે સમજણ અપાતા તેમણે પણ પ્લાઝમા ડોનેટ કર્યું હતું.