ગોધરાઃ પંચમહાલ જિલ્લામાં કોરોનાની પહેલી લહેર શહેરી વિસ્તાર સુધી સીમિત રહી હતી. હાલ કોરોનાની બીજી લહેર ઘાતક બનતાં ગ્રામીણ વિસ્તારમાં કોરોના સંક્રમણ પ્રસરતાં ગ્રામ્ય વિસ્તારોમાંથી કોરોનાના સંખ્યાબંધ કેસ મળી રહ્યા છે. જેને લઇને જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ્યકક્ષાએ વધતાં કોરોના સંક્રમણને ઘટાડવા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગે જિલ્લાના તમામ તાલુકાઓના ગામોની ૪૧૫ પ્રાથમિક શાળાઓને સસ્પેકટેડ આઇસોલેશન સેન્ટરમાં ફેરવવાનું નક્કી કર્યું હતું. આઇસોલેશન વોર્ડ બનાવીને કોરોનાના પ્રાથમિક લક્ષણ ધરાવતાં અને કોરોના પોઝિટિવ દર્દીઓને રાખવામાં આવશે.