પેટલાદ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ બનશે

Wednesday 05th May 2021 08:35 EDT
 

પેટલાદઃ શહેરની એસ એસજી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં કોરોના દર્દીઓ આજુબાજુના ગામોમાંથી આવે છે. ત્યારે હાલ મોટાભાગના દર્દીઓને ઓક્સિજનની જરૂરીયાત ઉભી થાય છે. પરંતુ ઓક્સિજન પૂરતો ન મળતાં દર્દીઓ મુશ્કેલીમાં મુકાય છે. તેને ધ્યાને લઇને દંતાલી ભકિતની કેતન આશ્રમના સંત સ્વામી સચ્ચિદાનંદ મહારાજે પેટલાદ હોસ્પિટલમાં દર મિનિટે ૨૦૦ લીટર ઓક્સિજન ઉત્પાદન કરી શકાય તેવો પ્લાન્ટ બનાવવા માટે રૂા ૩૫ લાખનું દાન આપ્યું છે. આ પ્લાન્ટ દ્વારા ૧૦૦ દર્દીને ઓક્સિજન આપી શકાશે.


comments powered by Disqus