યુનિસેફે ભારતમાં ૩૦૦૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મોકલ્યા

Wednesday 05th May 2021 09:19 EDT
 
 

નવીદિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રની એજન્સી યુનિસેફે કોવિડ-૧૯ મહામારીની દ્વિતીય લહેરમાં ભારતને મદદ કરવા માટે ૩૦૦૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર, ટેસ્ટિંગ કિટ અને અન્ય ઉપકરણો સહિત મહત્ત્વની લાઈફ સેવિંગ સપ્લાઈઝ મોકલી છે. યુનિસેફનું કહેવું છે કે અમે તમામ ઉંરમના લોકોને રસી આપવમાં ભારત સરકારના રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમને ગતિ આપવામાં મદદ કરી રહ્યાં છીએ. યુનિસેફના વડાએ એમ પણ કહ્યું કે, કોવિડ-૧૯ની ભયાનક પરિસ્થિતિમાં અમે ભારત સરાકરની સાથે ઊભા છીએ. તેમજ સંયુક્ત રાષ્ટ્ર ભારત પ્રત્યે પોતાનો સહયોગ વધારવા માટે સંપૂર્ણ પણે તૈયાર છે. યુનિસેફ પૂર્વોત્તર ભારતના રાજ્યો અને મહારાષ્ટ્રની હોસ્પિટલોમાં ૨૫ ઓક્સિજન કન્સન્ટ્રેટરની ખરીદી અને સ્થાપના કરવામાં મદદ કરી રહ્યું છે.


comments powered by Disqus