ગાંધીજયંતીના પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીના જન્મસ્થળ કીર્તિમંદિરમાં સર્વધર્મ પ્રાર્થનાસભામાં હાજરી આપી હતી. આ ઉપરાંત ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાથે સફાઈ કાર્યક્રમમાં સ્વચ્છતા ક્ષેત્રના સેવાભાવી લોકોને સન્માનિત કરાયા હતા.

