સોમનાથ ડિમોલિશન મુદ્દે સુપ્રીમ કોર્ટની ગુજરાત સરકારને ચીમકી

Wednesday 09th October 2024 05:00 EDT
 
 

વેરાવળઃ સોમનાથમાં થયેલી 28 સપ્ટેમ્બરની ડિમોલિશનની કામગીરી અંગે હુકમની અવમાનના અરજી પર સુપ્રીમ કોર્ટની જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચ દ્વારા સુનાવણી હાથ ધરાઈ હતી. સુપ્રીમ કોર્ટે આ અંગે શુક્રવારે કહ્યું હતું કે, જો ગુજરાતમાં અધિકારીઓએ બુલડોઝરની કાર્યવાહીના તેમના આદેશની અવગણના કરી છે, તો અમે અધિકારીઓને માત્ર જેલમાં જ નહીં મોકલીએ, પરંતુ તમામ મિલકતો ફરીથી બનાવવાનો આદેશ પણ આપીશું.
મુસ્લિમ જમાતે સુપ્રીમ કોર્ટના 17 સપ્ટેમ્બરના આદેશ ઉલ્લંઘન સામે કાર્યવાહીની માગ કરી હતી. આ સમયગાળા દરમિયાન મુસ્લિમ ધાર્મિક અને રહેણાક સ્થાનો જેમ હતાં તે રીતે રાખવાની માગને નકારી કાઢવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે ગુજરાત સરકાર પાસેથી જવાબ માગ્યો છે, જેની આગામી સુનાવણી 16 ઓક્ટોબરે થશે.
ઉલ્લેખનીય છે કે, સોમનાથ મંદિરથી 340 મીટર દૂર કેટલાંક ઘર અને દરગાહ બનાવવામાં આવ્યાં હતાં.


comments powered by Disqus