અમદાવાદઃ દેશના વિવિધ રેલવે સ્ટેશનોને રિડેવલપ કરાઈ રહ્યા છે. જેમાં સૌથી વ્યસ્ત અને મોટા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનને બુલેટ, મેટ્રો અને ભારતીય રેલવે એમ ત્રણેય ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળી રહેશે. ઉલ્લેખનીય છે કે, હાલમાં કાલુપુર રેલવે સ્ટેશનને રૂ. 2,384 કરોડના ખર્ચે રિડેવલપ કરવામાં આવી રહ્યું છે. રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટના પ્રથમ ફેઝની કામગીરી શરૂ થઈ ગઈ છે.

