વેરાવળઃ ભારત સરકારના નવનિયુક્ત શ્રમ અને રોજગાર તેમજ યુવા વિકાસમંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા સોમનાથ મહાદેવનાં દર્શને પહોંચ્યાં હતાં. ડો. મનસુખભાઈ માંડવિયાએ સોમનાથદાદાનાં દર્શન કરી જળાભિષેક કરી પૂજા સામગ્રી અર્પણ કરી હતી, ઉપરાંત સોમનાથ મહાદેવની મહાપૂજા કરી મહાદેવને પાઘ અર્પણ કરી હતી.

