છોટુ વસાવાએ બનાવી ‘ભારત આદિવાસી સેના’

Wednesday 27th March 2024 05:02 EDT
 
 

અમદાવાદઃ લોકસભા 2024 ની ચૂંટણીની જાહેરાત થઈ છે, ત્યારે તમામ પક્ષ દ્વારા પૂરતી તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ તમામ પાર્ટીઓની સાથે આદિવાસી નેતા છોટુ વસાવાએ નવા પક્ષ ‘ભારત આદિવાસી સેના’ નામના સંગઠનની સ્થાપના કરી છે. આ સંગઠનના હોદ્દેદારોની આગામી સમયમાં વરણી કરાશે. ઉલ્લેખનીય છે કે છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા હાલમાં જ ભાજપમાં જોડાયા છે. લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન થકી આપ અને કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે, ત્યારે આ ચૂંટણીમાં છોટુ વસાવાનો પક્ષ પણ ચૂંટણીમાં ઝુકાવી શકે છે.
પિતા-પુત્ર વચ્ચે ઘમાસાણ થયું હતું. બીટીપીના અધ્યક્ષ મહેશ વસાવા તાજેતરમાં જ તેઓના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા, જેથી બીટીપીનો ભાજપમાં વિલય થઈ ગયો હતો. મહેશ વસાવા દ્વારા ભાજપમાં જોડાવાની જાહેરાત કરતાં પિતા છોટુ વસાવાએ નારાજગી વ્યક્ત કરી હતી.


comments powered by Disqus