પાક. જેલમાં બંધક ઉનાના યુવાનનો ભાવુક પત્રઃ ‘અમને છોડાવો’

Wednesday 27th March 2024 05:27 EDT
 
 

ઉનાઃ કરાંચીની લાડી જેલમાં 28 માસથી બંધક ઊનાના પાલડી ગામે રહેતા ભુપતભાઈ બાબુભાઈ સોલંકીએ તેમના પરિવારજનોને લખેલો દર્દનાક પત્ર સામે આવ્યો છે. 270 માછીમારોને છોડાવવા રજૂઆત કરવા પત્રમાં દર્દનાક રીતે જણાવતાં બાબુભાઈનાં સગાંસંબંધીઓ પાલડી ગામે તા.પં. ના સભ્ય કમલેશભાઈ સોલંકી સમક્ષ રજૂઆત કરી હતી. પત્રમાં જણાવાયું છે કે, પાકિસ્તાનની જેલોમાં ભારતીય કેદીઓને સારવાર ન મળતાં તેઓ મરી રહ્યા છે. અહીં મોત આવે તે પહેલાં ભારત સરકારનાં પ્રતિનિધિઓ અમને છોડાવે.


comments powered by Disqus