બન્નીના ઘાસિયા મેદાનમાં આગથી ચરિયાણ ખાખ

Wednesday 27th March 2024 05:27 EDT
 
 

ભુજઃ કચ્છના બન્નીના ઘાસિયા મેદાનમાં લાગેલી આગ 48 કલાકથી વધુ સમય સુધી ભભૂકતી રહી હતી અને તેના કારણે આ ચરિયાણ વિસ્તારના 10 કિ.મી.માં ઘાસ રાખ થઈ જતાં પશુપાલકો ચિંતામાં મુકાયા છે.
ભુજ તાલુકાના દુર્ગમ હજીપીર પાસેના દક્ષિણ બન્ની વિસ્તારમાં લહેરાતા ઘાસિયા મેદાનમાં કોઈ કારણસર આગ ભભૂકી હતી. એશિયાના સૌથી મોટા ગ્રાસલેન્ડના બુરકલ અને આસપાસના વિસ્તારમાં લાગેલી આગ સતત બે દિવસ સુધી સળગતી રહી હતી.


comments powered by Disqus