ભરૂચ શંકરાચાર્ય મઠમાં અસામાજિક તત્ત્વો દ્વારા આગ લગાવવામાં આવી

Wednesday 27th March 2024 06:03 EDT
 
 

ભરૂચઃ નવચોકી ઓવારા ખાતે દ્વારકા શારદાપીઠ સંચાલિત શંકરાચાર્ય મઠમાં અજાણ્યા શખ્સે આગ લગાવતાં ચકચાર મચી છે. સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં આવેલા બુકાનીધારી શખ્સે મઠમાં જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાડી હતી. ત્યારબાદ પોતાની પાસે રહેલી ઉશ્કેરણીજનક લખાણવાળી કાપલી ઉછાળી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. વહેલી સવારે આવેલો અજાણ્યો શખ્સ સીસીટીવીમાં કેદ થતાં પોલીસે તેના આધારે તપાસ હાથ ધરી છે.
પોલીસે તપાસ હાથ ધરી છેઃ એસપી
સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં એક ઇસમે આવીને મઠ પર જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાવી હતી, જેના સીસીટીવી ફૂટેજ આવ્યા છે. મેસેજ મળતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી અલગ-અલગ ટીમો બનાવી તપાસ ચાલુ કરી છે. સીસીટીવીમાં ઝડપાયેલા શખ્સને ટૂંક સમયમાં પકડી કાર્યવાહી હાથ ધરાશે.


comments powered by Disqus