લાભાર્થીને સબસિડી ખાતામાં આપવાથી સરકારના રૂ. 63.7 હજાર કરોડની બચત

Wednesday 27th March 2024 06:27 EDT
 
 

નવી દિલ્હીઃ સરકારની કલ્યાણકારી અને વળતર અંગેની યોજનાઓ થકી સીધા લાભાર્થીઓનાં બેન્ક ખાતામાં રૂપિયા જમા કરાવવા માટે કેન્દ્ર સરકારે અપનાવેલી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સિસ્ટમ થકી સરકારને ગત નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 63,700 કરોડની બચત થઈ. વિવિધ લાભકારી યોજનામાં થતી ગેરરીતિઓને નિયંત્રિત કરવાથી ગત 9 વર્ષમાં કેન્દ્ર સરકારને અંદાજે રૂ. 3.5 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આ રકમ પ્રોત્સાહન લિન્ક્ડ ઈન્સેન્ટિવ (પીઆઇએલ) સ્કિમના બજેટ કરતાં 75% વધુ છે. વર્ષ 2030 સુધીનાં 10 વર્ષમાં ખાનગી રોકાણ અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય પૂરું પાડવા માટે સરકારે 14 ઉદ્યોગ ક્ષેત્રો માટે પીએલઆઇ સ્કિમ માટે રૂ. 2 લાખ કરોડના બજેટની જોગવાઈ કરી છે. યુપીએ સરકારે પોતાના છેલ્લા વર્ષ 2013-14માં રૂ. 7367 કરોડની એલબીજી સબસિડી માટે આધાર-મોબાઇવૃલિંક્ડ ડીપીટી વ્યવસ્થા શરૂ કરી હતી.


comments powered by Disqus