સાહિત્યકાર-શિક્ષણવિદ્ ડો. બળવંત જાનીને ગુજરાત રાજ્ય ગૌરવ પુરસ્કાર

Wednesday 26th February 2025 05:10 EST
 
 

રાજકોટઃ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આયોજિત સાહિત્ય ગૌરવ પુરસ્કાર સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ડો. બળવંતભાઈ જાનીને ગુજરાતી ભાષાનો ગૌરવ પુરસ્કાર એનાયત કરાયો હતો. આ સાથે જ ડો. બળવંતભાઈ જાનીને મધ્યકાલીન ગુજરાતી ઈસ્માઈલી ગિનાન સાહિત્ય વિષય પર ઉતકૃષ્ટ શોધ-સંશોધન માટે પણ પુરસ્કૃત કરાયા છે.
માતૃભાષા દિવસ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, સાંસ્કૃતિક મંત્રી મૂળુભાઈ બેરા, ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યાપક ભાગ્યેશ જ્હા, યુવા-સાંસ્કૃતિક પ્રવૃત્તિના અગ્રસચિવ એમ. થેન્નારસન હાજર રહ્યા હતા. ડો. બળવંતભાઈ જાની રાજકોટ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવાસમાજ ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી શિશુમંદિરમાં દસકોથી મેનેજિંગ ટ્રસ્ટી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે.


comments powered by Disqus