આણંદના નિસરાયામાં NRI દ્વારા 100 પરિવારને ઘરનું ઘર અપાયું

Wednesday 08th October 2025 06:25 EDT
 
 

આણંદઃ અમેરિકામાં સ્થાયી મેકદાદા તરીકે જાણીતા મહેન્દ્ર પટેલે માદરે વતન નિસરાયામાં 100 પરિવારોનું ઘરના ઘરનું સપનું સાકાર કર્યું છે. ગામની સીમમાં આવેલી જમીનમાં અંદાજિત રૂ. 3 કરોડના ખર્ચે 100 પરિવાર માટે મકાન તૈયાર કરી અપાયાં છે. આઠમે હરસિદ્ધિ માતાજીના મંદિરે હવન
કરીને નાળિયેર, ચૂંદડી સાથે પરિવારોનો ગૃહપ્રવેશ કરાવાયો હતો.
આ પ્રસંગે બોરસદ ધારાસભ્ય રમણભાઈ સોલંકી, આણંદના સાંસદ મિતેશ પટેલ, પેટલાદ ધારાસભ્ય કમલેશ પટેલ, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, બોરસદ તાલુકા પંચાયત પ્રમુખ મિહિર પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqus