ગાંધીનગરઃ વિજયાદશમીના પર્વે સચિવાલયથી મહાત્મા મંદિર સુધીની મેટ્રો રેલની ટ્રાયલ સફળતાપૂર્વક કરાઈ. નૂતન વર્ષના આરંભથી ગાંધીનગરના નાગરિકોને મહાત્મા મંદિર સુધી મેટ્રોની સુવિધા મળે તે માટે ગતિવિધિ તેજ કરી દેવાઈ છે. હાલ ગાંધીનગરમાં સચિવાલય સુધી મેટ્રો રેલનો નિયત રૂટ છે, જે આગામી દિવસોમાં 5 નંબરના રોડ પર થઈને મહાત્મા મંદિર સુધી મેટ્રો દોડશે.

