અમદાવાદના આરટીઓ સર્કલ પાસેના સુભાષબ્રિજને 4 ડિસેમ્બરથી સ્પાનમાં તિરાડ પડવા તથા બ્રિજ ઉપરનો કેટલોક ભાગ બેસી જવાના કારણે વાહનવ્યવહાર માટે બંધ કરાયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની પેનલ દ્વારા બ્રિજ બનાવટના મટિરિયલથી લઈને અન્ય બાબતની પ્રાથમિક તપાસ બાદ બ્રિજને 15 ડિસેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

