અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસું આવવાને હજુ વાર છે, ત્યારે વિવિધ જિલ્લાના જળાશયોનાં જળસ્તરમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાતનાં 206 જળાશયોમાં સરેરાશ 44.89 ટકા જેટલું જળસ્તર છે.
હાલ બે જળાશયમાં 90 ટકાથી વધુ, એકમાં 80થી 90 ટકા, 3માં 70 ટકાથી 80 ટકા જેટલું જળસ્તર છે. 200 જળાશયોમાં જળસ્તર હવે 70 ટકાથી ઓછું છે. હાલમાં વણાકબોરીમાં સૌથી વધુ 93.39, મોરબીના મચ્છુ-2માં 92.99 અને સુરેન્દ્રનગર ધોળી ધજામાં 92.84 ટકા જળસ્તર છે. કચ્છનાં 20 જળાશયોમાં સૌથી ઓછું 20.78 ટકા, સૌરાષ્ટ્રના 141 જળાશયમાં 28.47 ટકા જળસ્તર છે. તો સરદાર સરોવરમાં હાલ 54.07 ટકા જળસ્તર નોંધાયું છે.