નવી દિલ્હીઃ ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રનવેને અપગ્રેડ કરવાની ક્વાયત હાથ ધરાઈ છે, જેના કારણે 15 જૂનથી ત્રણ મહિના માટે રોજની 114 ફ્લાFટ રદ કરવાનો નિર્ણય લેવાયો છે. દિલ્હી એરપોર્ટ ઓપરેટર DIAL દ્વારા જણાવાયું હતું કે, એક રનવેને અપગ્રેડ કરવાનો હોવાથી તેને બંધ રાખવામાં આવશે અને તેથી આ એરપોર્ટ પરથી રોજ ઊડાન ભરતી 7.5 ટકા ફ્લાઇટને અસર પહોંચશે.
રનવે 10/28ને અપગ્રેડ કરવા 15 જૂનથી 15 સપ્ટેમ્બર દરમિયાન કામગીરી થશે. અગાઉ મે મહિનામાં તેને અપગ્રેડ કરવાનો હતો, પરંતુ કન્જેશનની સમસ્યાથી કામગીરી મુલતવી રખાઈ હતી. રનવેને CAT III ધોરણો મુજબનો બનાવવા ધ ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમને અપગ્રેડ કરાશે, જેથી ધુમ્મસમાં પણ ફ્લાઈટ ઓપરેટ કરવાનું સરળ બનશે.