દ્વારકા મંદિરે 15 દિવસમાં 7 લાખ લોકોએ દર્શન કર્યાં

Tuesday 10th June 2025 17:18 EDT
 
 

દ્વારકાઃ ઉનાળુ વેકેશનના અંતિમ વિકેન્ડમાં યાત્રાધામ દ્વારકામાં દર્શનાર્થીઓ તથા સહેલાણીઓ મોટી સંખ્યામાં ઊમટ્યા હતા. વેકેશન પૂર્ણ થવાના છેલ્લા પખવાડિયામાં 7 લાખ ભાવિકોએ દ્વારકાધીશનાં દર્શન કર્યાં. વેકેશનના છેલ્લા દિવસોમાં દ્વારકા મંદિરે દર્શન તથા ટૂરિસ્ટ પોઇન્ટ્સની મુલાકાત લેવા મોટી સંખ્યામાં પર્યટકો આવ્યા હતા. આ દરમિયાન દ્વારકા મંદિરમાં તેમજ ગોમતીઘાટે ભાવિકોનો ધસારો જોવા મળ્યો. દ્વારકાના રમણીય બીચ, સંગમ, નારાયણ મંદિર, ગાયત્રી મંદિર પાસેનો બીચ, ભડકેશ્વર ચોપા વગેરે સ્થળે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા.


comments powered by Disqus