ભાવનગરઃ ધોળા તાલુકાના મોટા ખોખરા ગામના 23 વર્ષીય અગ્નિવીર જવાન જયદીપસિંહ જિતુભાઈ ડાભી જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં શહીદ થયા છે. તેઓ આર્મીની એર ડિફેન્સ રેજિમેન્ટમાં ફરજ બજાવતા હતા. તેમના શહીદ થયાના સમાચાર મળતાં જ પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. જયદીપસિંહ ડાભી ગયા વર્ષે 25 એપ્રિલે અગ્નિવીર તરીકે સેનામાં જોડાયા હતા, તે ચાર દિવસ પહેલાં રજા પરથી કાશ્મીર ગયા હતા. તેઓ શ્રીનગરમાં એર ડિફેન્સ રેજિમેન્ટમાં પોસ્ટિંગ પર હતા, જ્યાં તેમનું કાર્ય દુશ્મન દેશના હવાઈ હુમલાને નિષ્ફળ બનાવવાનું હતું.