પાલનપુરઃ થરાદના કિયાલ ગામના સરપંચે પોતાનાં પુત્ર-પુત્રીનાં લગ્ન અનોખી રીતે કરી સમાજમાં દાખલો બેસાડ્યો,. તેમણે એકપણ વીઆઇપી કારનો ઉપયોગ કર્યા વગર 51 ટ્રેક્ટર સાથે જાન કાઢી. દરેક જાનૈયા પોતાનું ટ્રેક્ટર લઈને આવ્યા. શણગારેલા 51 ટ્રેક્ટર દ્વારા કિયાલથી 15 કિલોમીટર દૂર દેલનકોટ ગામે જાન લઈ જવાઈ હતી. તેઓ ખેતી પર આધારિત પરિવાર છે. પુત્ર અને પુત્રીની લગ્નપત્રિકામાં ગામના તમામ પરિવારોનાં નામ સ્નેહાધીનમાં લખાયાં હતાં.