સુરતમાં વધુ એક મોડલ અંજલિ વરમોરાનો આપઘાત

Tuesday 10th June 2025 17:41 EDT
 
 

સુરતઃ સુરતમાં રહેતી 23 વર્ષીય મોડલ અંજલિ વરમોરાએ 7 જૂનની મોડી રાત્રે 2 વાગ્યે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. તેણે માનસિક તણાવમાં આ પગલું ભર્યું હોવાનું અનુમાન છે. હાલ આ મામલે અઠવા પોલીસે તપાસ હાથ ધરી છે.
આપઘાતના એક દિવસ પહેલાં અંજલિએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં બે રીલ પોસ્ટ કરી હતી, જેમાં ‘બધા જ વયા ગયા હોત તો વાંધો નહોતો પણ, વહાલા હતા ઇ વયા ગયા ને ઇ ખટકે છે’ના લખાણ સાથેની રીલ પોસ્ટ કરી હતી. જ્યારે અંતિમ પોસ્ટમાં ‘આજે તે અહેસાસ કરાવી દીધો કે હું કંઈ નથી, તારા માટે’નું લખાણ લખેલી રીલ પોસ્ટ કરી હતી.
સુરતના નવસારી બજારમાં કાર્તિક એપાર્ટમેન્ટમાં 23 વર્ષીય અંજલિ અલ્પેશભાઈ વરમોરા પરિવાર સાથે રહેતી હતી. પરિવારમાં માતા, એક ભાઈ અને એક બહેન છે. અંજલિ મોડલ તરીકે અલગ-અલગ કંપનીઓ સાથે કામ કરતી હતી.


comments powered by Disqus