રાજકોટઃ રાજકોટમાં મુખ્યમંત્રીના હસ્તે 9 વિભાગના રૂ. 557 કરોડનાં 41 વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતેથી કરાયું. રૂ. 343 કરોડનાં 13 વિકાસકાર્યોના લોકાર્પણ અને રૂ. 213.79 કરોડનાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરાયું હતું.
આ તકે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજકોટને સુરતની જેમ ગ્રોથ હબ તરીકે વિકસાવાશે અને અહીંના ઉદ્યોગોને વૈશ્વિક માર્કેટ મળશે. 20 વર્ષમાં શહેરની કાયાપલટ થઈ છે. હીરાસર એરપોર્ટ, અટલ સરોવર, એઇમ્સથી શહેરને આગવી ઓળખ મળી છે. રૂ. 112 કરોડનાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં કામો જિલ્લાના ઉદ્યોગોને બળ આપશે અને તેનાથી રાજકોટના ઇઝ ઓફ લીવિંગમાં સુધારો થશે. 2005માં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી હતા ત્યારે તેમણે શહેરીવર્ષની ઉજવણી પ્રથમ વખત કરી હતી. હવે ફરી ઉજવણી થઈ રહી છે. હવે આંતરમાળખાકીય સુવિધામાં સતત થઈ રહેલા વધારાના કારણે એમએસએમઈ હબ તરીકે રાજકોટ આગળ વધી રહ્યું છે. શહેરી વિકાસવર્ષની 2025માં ઉજવણી ચાલી રહી છે, ત્યારે રાજકોટમાં રૂ. 238 કરોડનાં વિકાસકામો ઊર્જાક્ષેત્રે અપાયાં છે.
આ તકે મુખ્યમંત્રીએ નરેન્દ્ર મોદીએ ઊર્જાક્ષેત્રે કરેલી કામગીરીને યાદ કરતાં કહ્યું હતું કે, ત્યારે અન્ય પ્રશ્નોની જેમ વીજળીની અછતના પણ પ્રશ્નો હતા. ગામડાના લોકો રાત્રીભોજન સમયે વીજળી આપજો તેવી રજૂઆતો કરતા હતા. આજે જ્યોતિગ્રામ યોજનાથી ગામડાઓને 24 કલાક વીજળી મળી રહી છે.
રાજકોટમાં મિની મહાત્મા મંદિર બનશે
સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગોને ધ્યાને રાખી મુખ્યમંત્રીએ રાજકોટ ખાતે મિની મહાત્મા મંદિર બનાવવા સૂચના આપી છે. જે અંતર્ગત શનિવારે મહાનગરપાલિકા દ્વારા તેની તૈયારી શરૂ કરી વિવિધ સંગઠનો સમક્ષ તેનું પ્રેઝન્ટેશન યોજ્યું હતું. ગાંધીનગરના સેક્ટર-13 ખાતે પ્રદર્શન કમ સેમિનાર હોલ સહિતની સુવિધા ધરાવતું મહાત્મા મંદિર વેપાર-ઉદ્યોગ માટે મહત્ત્વનું છે, જેના આધાર પર જ રાજકોટમાં પણ મિની મહાત્મા મંદિર આકાર લેશે. આ માટે રાજ્ય સરકારે જરૂરી આર્થિક સહાય આપવા તૈયારી દર્શાવી છે.
શુક્રવારે રાજકોટની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં કન્વેન્શન સેન્ટર બનાવવા માટે સૂચન કર્યું હોય અને મહાપાલિકાને તે માટે જરૂરી કાર્યવાહી કરવા જણાવતાં શનિવારે વેપાર-ઉદ્યોગો સાથે મહાપાલિકાએ નાણાકીય તાકીદની બેઠક યોજીને તૈયારી હાથ ધરી હતી.
રાજકોટઃ રાજકોટમાં મુખ્યમંત્રીના હસ્તે 9 વિભાગના રૂ. 557 કરોડનાં 41 વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતેથી કરાયું. રૂ. 343 કરોડનાં 13 વિકાસકાર્યોના લોકાર્પણ અને રૂ. 213.79 કરોડનાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ તકે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજકોટને સુરતની જેમ ગ્રોથ હબ તરીકે વિકસાવાશે અને અહીંના ઉદ્યોગોને વૈશ્વિક માર્કેટ મળશે. 20 વર્ષમાં શહેરની કાયાપલટ થઈ છે. હીરાસર એરપોર્ટ, અટલ સરોવર, એઇમ્સથી શહેરને આગવી ઓળખ મળી છે. રૂ. 112 કરોડનાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં કામો જિલ્લાના ઉદ્યોગોને બળ આપશે અને તેનાથી રાજકોટના ઇઝ ઓફ લીવિંગમાં સુધારો થશે. 2005માં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી હતા ત્યારે તેમણે શહેરીવર્ષની ઉજવણી પ્રથમ વખત કરી હતી. હવે ફરી ઉજવણી થઈ રહી છે. હવે આંતરમાળખાકીય સુવિધામાં સતત થઈ રહેલા વધારાના કારણે એમએસએમઈ હબ તરીકે રાજકોટ આગળ વધી રહ્યું છે. શહેરી વિકાસવર્ષની 2025માં ઉજવણી ચાલી રહી છે, ત્યારે રાજકોટમાં રૂ. 238 કરોડનાં વિકાસકામો ઊર્જાક્ષેત્રે અપાયાં છે.આ તકે મુખ્યમંત્રીએ નરેન્દ્ર મોદીએ ઊર્જાક્ષેત્રે કરેલી કામગીરીને યાદ કરતાં કહ્યું હતું કે, ત્યારે અન્ય પ્રશ્નોની જેમ વીજળીની અછતના પણ પ્રશ્નો હતા. ગામડાના લોકો રાત્રીભોજન સમયે વીજળી આપજો તેવી રજૂઆતો કરતા હતા. આજે જ્યોતિગ્રામ યોજનાથી ગામડાઓને 24 કલાક વીજળી મળી રહી છે.રાજકોટમાં મિની મહાત્મા મંદિર બનશેસૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગોને ધ્યાને રાખી મુખ્યમંત્રીએ રાજકોટ ખાતે મિની મહાત્મા મંદિર બનાવવા સૂચના આપી છે. જે અંતર્ગત શનિવારે મહાનગરપાલિકા દ્વારા તેની તૈયારી શરૂ કરી વિવિધ સંગઠનો સમક્ષ તેનું પ્રેઝન્ટેશન યોજ્યું હતું. ગાંધીનગરના સેક્ટર-13 ખાતે પ્રદર્શન કમ સેમિનાર હોલ સહિતની સુવિધા ધરાવતું મહાત્મા મંદિર વેપાર-ઉદ્યોગ માટે મહત્ત્વનું છે, જેના આધાર પર જ રાજકોટમાં પણ મિની મહાત્મા મંદિર આકાર લેશે. આ માટે રાજ્ય સરકારે જરૂરી આર્થિક સહાય આપવા તૈયારી દર્શાવી છે.શુક્રવારે રાજકોટની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં કન્વેન્શન સેન્ટર બનાવવા માટે સૂચન કર્યું હોય અને મહાપાલિકાને તે માટે જરૂરી કાર્યવાહી કરવા જણાવતાં શનિવારે વેપાર-ઉદ્યોગો સાથે મહાપાલિકાએ નાણાકીય તાકીદની બેઠક યોજીને તૈયારી હાથ ધરી હતી.