300 ખૂસણખોરોને ખાસ વિમાનમાં બાંગ્લાદેશ રવાના કરાયા

Wednesday 14th May 2025 06:12 EDT
 
 

અમદાવાદઃ પહલગામ હુમલાના બે સપ્તાહ બાદ એક તરફ ભારતે એરસ્ટ્રાઇક કરીને પાકિસ્તાનમાં આતંકવાદીઓના કેમ્પનો ખાતમો બોલાવ્યો છે. ત્યારે ગુજરાતમાં ગેરકાયદે ઘૂસી આવેલા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાનું ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું છે. ગુજરાત પોલીસે અમદાવાદ, સુરત સહિત રાજ્યભરનાં વિવિધ શહેરોમાંથી પકડેલા અને ગેરકાયદે રીતે અહીં રહેતા 300થી વધુ બાંગ્લાદેશીને ખાસ એરકાફટ મારફતે બાંગ્લાદેશ પરત મોકલી દીધા છે. 27 એપ્રિલે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને પકડવા માટે રાજ્યમાં એકસાથે અમદાવાદ, સુરતમાં ઓપરેશન પાર પાડવાામાં આવ્યું હતું, જેમાં અમદાવાદથી 800 અને સુરતથી 134 બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા હતા.


comments powered by Disqus