અમદાવાદઃ પહલગામ હુમલાના બે સપ્તાહ બાદ એક તરફ ભારતે એરસ્ટ્રાઇક કરીને પાકિસ્તાનમાં આતંકવાદીઓના કેમ્પનો ખાતમો બોલાવ્યો છે. ત્યારે ગુજરાતમાં ગેરકાયદે ઘૂસી આવેલા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાનું ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું છે. ગુજરાત પોલીસે અમદાવાદ, સુરત સહિત રાજ્યભરનાં વિવિધ શહેરોમાંથી પકડેલા અને ગેરકાયદે રીતે અહીં રહેતા 300થી વધુ બાંગ્લાદેશીને ખાસ એરકાફટ મારફતે બાંગ્લાદેશ પરત મોકલી દીધા છે. 27 એપ્રિલે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને પકડવા માટે રાજ્યમાં એકસાથે અમદાવાદ, સુરતમાં ઓપરેશન પાર પાડવાામાં આવ્યું હતું, જેમાં અમદાવાદથી 800 અને સુરતથી 134 બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા હતા.