આતંકી તહવ્વુર રાણા 6 જૂન સુધી તિહાર જેલહવાલે

Wednesday 14th May 2025 08:05 EDT
 
 

નવી દિલ્હીઃ દિલ્હીની કોર્ટે 26/11ના મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર હુસેન રાણાને 6 જૂન સુધી તિહાર જેલમાં ધકેલી દીધો છે.
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) પાસેની એની કસ્ટડી પૂરી થાય એના એક દિવસ અગાઉ વિશેષ એનઆઇએ ન્યાયમૂર્તિ ચંદરજિત સિંઘ સમક્ષ રજૂ કરાયેલા તહવ્વુર રાણાને જેલમાં મોકલવાની ભલામણ કરવામાં આવી હતી, જે અરજીના આધારે રાણાને જેલમાં મોકલાયો છે. 26/11ના મુંબઈ હુમલાના મુખ્ય કાવતરાખોર અમેરિકી નાગરિક ડેવિડ કોલમેન હેડલી ઉર્ફે દાઉદ ગિલાનીના ગાઢ સાથીદાર તહવ્વુર રાણાની અમેરિકી સુપ્રીમ કોર્ટે 4 એપ્રિલે એના ભારતને પ્રત્યાર્પણની સમીક્ષા-અરજીને ફગાવી દેવાયા બાદ તેને ભારત લાવવામાં આવ્યો છે.


comments powered by Disqus