ગુજરાતીઓના અમરનાથ યાત્રાના મોહમાં ઘટાડો

Wednesday 14th May 2025 06:12 EDT
 
 

અમદાવાદઃ પહેલગામ હુમલા બાદ જમ્મુ-કાશ્મીર જતા પ્રવાસીઓએ પોતાનાં બુકિંગ રદ કરાવી દીધાં છે અને દેશના અન્ય હિલ સ્ટેશનમાં ફરવા જવાનું પસંદ કરી રહ્યા છે. આ વર્ષે અમરનાથ યાત્રા માટે દરેક શહેરમાંથી હજારો લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, પરંતુ હવે અમરનાથ યાત્રા શરૂ થવાને એક મહિનાનો સમય બાકી છે એ પહેલાં જ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ પેદા થતાં અમરનાથ યાત્રાનું બુકિંગ નહિવત છે અને જેમનું બુકિંગ થઈ ગયું છે તેઓ ટૂર રદ કરી રહ્યા છે.
ઓછા પ્રવાસીઓ આવવાના કારણે હાલમાં આ રૂટ પરની હોટેલોનાં ભાડાં અડધાં થઈ ગયાં હોવા છતાં બુકિંગ ન થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે. તેવા સમયે હાલમાં વડોદરામાં ટ્રાવેલ્સના માલિકો પાસે અમરનાથ યાત્રા માટે કોઈપણ વ્યક્તિ પૂછપરછ માટે આવી રહી નથી. ગતવર્ષે આ સમયગાળામાં 3 હજાર જેટલાં બુકિંગ થયાં હતાં, જેની સામે આ વર્ષે અનેક ટૂર ઓપરેટર પાસે હજુ બુકિંગની શરૂઆત પણ થઈ નથી.


comments powered by Disqus