ચારુતર વિદ્યામંડળના ચેરમેન ભીખુભાઈ પટેલને ગુજરાત ગરિમા એવોર્ડ

Wednesday 14th May 2025 08:00 EDT
 
 

આણંદઃ વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારુતર વિદ્યામંડળના ચેરમેન અને સીવીએમ યુનિવર્સિટીના પ્રમુખ ભીખુભાઈ પટેલનું ગુજરાત ગરિમા એવોર્ડ 2025થી સન્માન કરાયું. પંચમહાલમાં ગુજરાતના 65મા સ્થાપનાદિને ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે રાજયના વ્યક્તિ વિશેષ સન્માન અંતર્ગત શૈક્ષણિક ક્ષેત્રની પ્રશંસનીય કામગીરી માટે ચારુતર વિદ્યામંડળના ચેરમેન ભીખુભાઇ પટેલનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત ગરિમા એવોર્ડ 2025 એનાયત કરાયો હતો. ભીખુભાઈની દીર્ધદૃષ્ટિ અને માર્ગદર્શન હેઠળ વર્ષ 2019માં ચારુતર વિદ્યામંડળને ગુજરાત સરકારે ખાનગી યુનિવર્સિટી તરીકે માન્યતા આપી છે. કુશળ સંચાલક તરીકે ભીખુભાઇ પટેલે ભવિષ્યની માગને ધ્યાને રાખી કાર્ય કર્યું છે.


comments powered by Disqus