શિક્ષણવિદ્ પ્રો. ગંભીરસિંહ ગોહિલનું અવસાન

Wednesday 14th May 2025 06:11 EDT
 
 

ભાવનગરઃ જાણીતા શિક્ષણકાર, સાહિત્યકાર અને ઇતિહાસકાર, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગરના પૂર્વ ચેરમેન  તથા ભાવનગરની શામળદાસ આર્ટ્સ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ પ્રો. ગંભીરસિંહ ગોહિલનું 9 મેએ અવસાન થયું. તેઓના અવસાનથી ભાવનગરના શિક્ષણ, સાહિત્ય અને ઇતિહાસ ક્ષેત્રે ભારે ખોટ પડી છે. સ્વ. ગંભીરસિંહ ગોહિલે  ભાવનગર રાજ્યનો ઇતિહાસ આલેખન કર્યો હતો. તેઓની અંતિમયાત્રામાં શિક્ષણજગતના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.


comments powered by Disqus