વડોદરાઃ 12 બાળકો અને બે શિક્ષકોનો ભોગ લેનારા હરણી બોટકાંડ માટે જવાબદાર કોટિયા પ્રોજેક્ટે હાઇકોર્ટમાં રિવ્યૂ પિટિશન કરી હતી. જેમાં ઘટસ્ફોટ કર્યો હતો કે, તેમના વતી અગાઉ હાજર વકીલે તેમની મંજૂરી લીધા વગર વળતરની રકમ રૂ. 31.75 લાખની દરખાસ્ત આપી હતી, પરંતુ કંપની આટલું મોટું વળતર ચૂકવી શકે તેમ નથી. હાઇકોર્ટે રિવ્યૂ પિટિશનની દાદ ફગાવીને ટકોર કરી હતી કે, દુર્ઘટના માટે તમે જવાબદાર છો, તેથી વળતરની જે રકમ નક્કી થઈ છે તે તમારે ચૂકવવી જ પડશે. વળતર સીધી રીતે નહીં ચૂકવો તો રેવન્યુ રાહે મિલકતો ટાંચમાં લઈ તેને વેચીને વળતર વસૂલ કરાશે.
હરણી બોટકાંડ માટે જવાબદાર કોટિયા પ્રોજેકટ તરફથી નવા એડવોકેટે દલીલ કરી હતી કે, તેમના અગાઉના વકીલે તેમની સૂચના વિના જ વળતરના રૂ. 31.75 લાખ નક્કી કર્યા હતા.