મુંબઈ-અમદાવાદ ફ્લાઇટને લેન્ડિંગ સમયે બર્ડહિટ

Wednesday 16th July 2025 06:10 EDT
 
 

અમદાવાદઃ મુંબઈથી અમદાવાદ આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટને રવિવારે લેન્ડિંગ વખતે બર્ડહિટ થયું હતું, જેમાં સવાર 130થી વધુ પેસેન્જરોના જીવ અધ્ધર થઈ ગયા હતા. ફ્લાઇટને પાર્કિંગમાં લાવ્યા બાદ એન્જિનની બ્લેડ તૂટી હોવાનું જણાયું હતું. આથી વિમાનને ગ્રાઉન્ડ કરાયું હતું, જેને રિપેર કરીને સવારે 8:30 વાગ્યે તેને મુંબઈ રવાના કરાયું હતું.


comments powered by Disqus