અમદાવાદમાં અગ્રણી પાટીદાર બિલ્ડરની હત્યા

Wednesday 17th September 2025 06:11 EDT
 
 

અમદાવાદઃ કન્સ્ટ્રક્શનના રૂપિયાની લેતીદેતીના 20 મહિનાથી ચાલતા ઝઘડામાં પૂર્વ ભાગીદાર મનસુખ લાખાણીએ પાટીદાર અગ્રણી નેતા અને નિકોલના 63 વર્ષીય બિલ્ડર હેમંત રૂડાણીની હત્યાની સોપારી આપી મોતને ઘાટ ઉતરાવી દીધા છે. 13 સપ્ટેમ્બરે રાત્રે વિરાટનગર બ્રિજ નીચે મર્સિડીઝની ડિકીથી લાશ મળી હતી. ત્યારબાદ પોલીસે રાજસ્થાન ભાગી રહેલા સગીર સહિત ત્રણ શખ્સને મોડી રાત્રે ઝડપી લીધા હતા. આરોપી હિમાંશુ ઉર્ફે રાહુલ અને પપ્પુએ કબૂલ્યું કે, તેમને મનસુખ લાખાણીએ બિલ્ડર હિંમતભાઈની હત્યાની સોપારી આપી હતી. તેમની હત્યા બાદ કાર મૂકી તેઓ ફરાર થયા હતા.


comments powered by Disqus