અમદાવાદઃ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા મુસાફરોને ટાટા સન્સના ચેરમેન દ્વારા રૂ. 1 કરોડની સહાય આપવા માટે જાહેરાત કરાયા બાદ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા આ ઘટનામાં મૃત્યુ પામેલા મેડિકલના વિદ્યાર્થીઓના પરિવારોને અને ઘાયલોને પણ સહાય આપવા રજૂઆત કરાઈ હતી. જેને પગલે એર ઇન્ડિયા દ્વારા કરાયેલી નવી જાહેરાત મુજબ મૃત્યુ પામેલા મેડિકલના વિદ્યાર્થીઓના પરિવારોને અને અન્ય તમામ મૃતકોના પરિવારને પણ રૂ. 1.25 કરોડની સહાય અપાશે.