ભુજઃ આદિકૈલાસ યાત્રા પર ગયેલાં ગાંધીધામનાં એક મહિલા શ્રદ્ધાળુ પર પથ્થર પડતાં તેમનું નિધન થયું હતું. વૃદ્ધાના મૃતદેહને ઊંચાઈથી નીચે લાવવા માટે ભારતીય આર્મીની મદદ લેવાઈ હતી. સોમવારે પાર્વતી સરોવર, શિવમંદિર અને આદિકૈલાસનાં દર્શન બાદ 65 વર્ષીય દેવયાનીબહેન ચુન્નીલાલ સાવલા ઘોડા પર સવાર થઈને ગૌરીકુંડ જઈ રહ્યાં હતાં, ત્યારે અચાનક તેમના પર એક પથ્થર પડ્યો હતો અને ગંભીર ઇજા થતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું.