આદિકૈલાસ યાત્રા દરમિયાન ગાંધીધામનાં વૃદ્ધાનું મોત

Wednesday 21st May 2025 07:05 EDT
 
 

ભુજઃ આદિકૈલાસ યાત્રા પર ગયેલાં ગાંધીધામનાં એક મહિલા શ્રદ્ધાળુ પર પથ્થર પડતાં તેમનું નિધન થયું હતું. વૃદ્ધાના મૃતદેહને ઊંચાઈથી નીચે લાવવા માટે ભારતીય આર્મીની મદદ લેવાઈ હતી. સોમવારે પાર્વતી સરોવર, શિવમંદિર અને આદિકૈલાસનાં દર્શન બાદ 65 વર્ષીય દેવયાનીબહેન ચુન્નીલાલ સાવલા ઘોડા પર સવાર થઈને ગૌરીકુંડ જઈ રહ્યાં હતાં, ત્યારે અચાનક તેમના પર એક પથ્થર પડ્યો હતો અને ગંભીર ઇજા થતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું.


comments powered by Disqus