મહેસાણાઃ રાજ્યના કેબિનેટ મંત્રી અને વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલનાં માતા કમળાબાનું શનિવારે ટૂંકી માંદગી બાદ 85 વર્ષની વયે નિધન થયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજકીય અને સામાજિક અગ્રણીઓએ કમળાબાનાં અંતિમદર્શન કરી શ્રદ્ધાંજલિ આપી હતી. કમળાબાના અંતિમ સંસ્કાર સિદ્ધપુર મુક્તિધામ ખાતે કરાયાં હતાં.
વિસનગરમાં થલોટા રોડ પર હરદ્વાર સોસાયટીમાં મંત્રી સાથે રહેતાં કમળાબા છેલ્લા થોડા સમયથી બીમાર હતાં. શનિવારે ઋષિકેશભાઈ ઘરે જ હતા અને બપોરે બાનું અવસાન થતાં તેમના નિવાસસ્થાને ભાજપના કાર્યકરો, સરકારી અધિકારીઓ સહિતના લોકોએ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પી હતી.