દેશમાં પ્રથમ વખતઃ અંજારમાં વ્યાજખોર ત્રિપુટીની મિલકત જપ્ત

Wednesday 21st May 2025 06:17 EDT
 
 

ભુજઃ રાજ્યમાં નિર્દોષ નાગરિકોને રંજાડતા વ્યાજખોરો સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી ગુજરાત પોલીસે ખૂબ કડકાઈ સાથે આકરાં પગલાં ભરી રહી છે. આવા તબક્કે દેશમાં પ્રથમ વખત અંજારમાં ગુજરાત પોલીસ દ્વારા વ્યાજખોરોની મિલકત જપ્ત કરી કડક કાર્યવાહી થઈ છે.
કચ્છ જિલ્લાના અંજાર શહેરમાં વ્યાજખોરીની ગેરકાયદે પ્રવૃત્તિ અંકુશ લાવવા અંજાર પોલીસે ઐતિહાસિક કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીમાં આરોપીઓ દ્વારા વ્યાજખોરી દ્વારા મેળવેલી લગભગ રૂ. 63.46 લાખ રૂપિયાની મિલકત એટલે કે 4 મકાન, બે પ્લોટ અને એક કાર સહિતની મિલકત જપ્ત કરવામાં આવી છે, જે દેશના ઇતિહાસમાં પ્રથમવાર આ પ્રકારની કાર્યવાહી તરીકે નોંધાઈ છે.
વ્યાજખોરોના ગુનાઓની
ગંભીરતા ધ્યાને લેવાઈ
પોલીસે આરોપીઓના ગુનાઇત ઇતિહાસની ગંભીરતા ધ્યાને લઈ કાર્યવાહી કરી. આરોપીઓ સામે ભારતીય ન્યાયસંહિતા, ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ અને જીસીટીઓસી કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે. ગૃહવિભાગના હુકમ આધારે આ મિલકતોને જપ્ત કરવામાં આવી છે.


comments powered by Disqus