અમરેલીઃ ધારીના હિમખીમડી પરાના મદરેસના મૌલાનાનું પાકિસ્તાન અને બાંગ્લાદેશ કનેક્શન ખૂલતાં તંત્રએ મૌલાના અને મદરેસા અંગે તપાસ શરૂ કરી હતી. જેમાં મદરેસાનું મકાન શરત ભંગના કારણે ગેરકાયદે જણાતાં તંત્રએ મદરેસા પર બુલડોઝર ફેરવી તેને જમીનદોસ્ત કરી દીધું હતું.