પાકિસ્તાનના મિત્ર તુર્કીથી રૂ. 5 કરોડના સફરજનના ઓર્ડર રદ

Wednesday 21st May 2025 06:19 EDT
 
 

અમદાવાદઃ ભારત-પાકિસ્તાન યુદ્વ દરમિયાન પાકિસ્તાનને સપોર્ટ કરતા તુર્કી અને અઝરબૈજાનનો અમદાવાદના ફળોના વેપારીઓ દ્વારા વિરોધ કરાયો. નરોડા ફ્રૂટ માર્કેટના વેપારીઓએ તુર્કીથી આવતાં રૂ. 5 કરોડના સફરજનના ઓર્ડર રદ કર્યા છે. ફ્રૂટ માર્કેટ એસોસિયેશનના પ્રમુખ લછુભાઈ રોહેરાએ જણાવ્યું કે, ઇમ્પોર્ટ કરતા 25 વેપારીએ તુર્કી અને અઝરબૈજાનથી આવતાં સફરજનના તમામ ઓર્ડરને કેન્સલ કર્યા છે. વર્ષ દરમિયાન એક વેપારી દ્વારા વાર્ષિક રૂ. 20થી 25 લાખના સફરજન આયાત કરાય છે. જુલાઈથી ડિસેમ્બર દરમિયાન આ સફરજનની ડિમાન્ડ સારી હોય છે. તુર્કીના સફરજનની આયાત બંધ થતાં સ્થાનિક તેમજ અન્ય જગ્યાથી સફરજનની આયાત કરાશેસ, જેના કારણે જથ્થો જળવાઈ રહેતાં સફરજનના ભાવ નહીં વધે. વેપારીઓએ દેશભક્તિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.


comments powered by Disqus