સુરતઃ વાંસદા તાલુકાના ખાનપુર ગામે યુવાનના લગ્ન સોમવારે એકસાથે બે યુવતીઓ સાથે થયાં. બંને યુવતી વર્ષોથી તેની સાથે પત્ની તરીકે રહે છે. આ બે પત્નીનાં ત્રણ સંતાનો પણ છે. આ ત્રણેય સંતાનો માતા-પિતાનાં લગ્ન નિહાળ્યા હતા.
ખાનપુર ગામે રહેતા 36 વર્ષીય મેઘરાજ રામભાઈ દેશમુખના ભાઈ અને બહેનનાં લગ્ન મંગળવારે હોવાથી લગ્નની કંકોત્રી છપાવાઈ હતી, જેમાં મેઘરાજે પોતાના લગ્ન અંગે પણ છપાવ્યું હતું. જે પ્રમાણે મેઘરાજના સોમવારે ધરમપુરના જયહિંદભાઈ ગાવિતની 30 વર્ષીય પુત્રી કાજલ અને વાંસદાના મગનભાઈ ગાઈનની પુત્રી 29 વર્ષીય પુત્રી રેખા સાથે લગ્ન કરવામાં આવ્યાં. કાજલ સાથે મેઘરાજની સગાઈ વર્ષ 2010માં થઈ હતી અને રેખા સાથે વર્ષ 2013માં થઈ હતી. ત્યારબાદ બંને યુવતી મેઘરાજ સાથે ખાનપુર ગામે પત્ની તરીકે રહે છે. ઉલ્લેખનીય છે કે, આદિવાસી સમાજના લોકો એકથી વધુ પત્ની રાખી શકે છે.