જૂનાગઢઃ સક્કરબાગ ઝૂમાંથી એક રીંછ પાંજરાથી ભાગી નીકળ્યું હતું. આ રીંછ ઝાડની ડાળીઓ થકી પાંજરાથી બહાર નીકળી કસ્તુરબા સોસાયટી સુધી પહોંચી ગયું હતું, જેથી સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. રીંછ વર્ષોથી ઝૂમાં પાલતુ તરીકે રહેતું હતું. સ્થાનિક રહીશોએ રીંછને જોતાં તરત જ વનવિભાગને જાણ કરી હતી, જેથી વન વિભાગની ટીમ રીંછને પકડી પાછું ઝૂમાં લઈ ગઈ હતી. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે અગાઉ પણ આ વિસ્તારમાં સિંહ-દીપડાની લટારના બનાવો બન્યા છે. તેમણે સક્કરબાગ ઝૂની આસપાસ મજબૂત કાંટાળી દીવાલ અને સુરક્ષા વ્યવસ્થાની માગ કરી છે.