અંબાજીના પ્રવીણસિંહ રાણાના પુત્ર સિદ્વરાજસિંહનું મોત થતાં માત્ર 22 વર્ષીય પુત્રવધૂ ક્રિષ્ના વિધવા થઈ હતી, તો 6 માસની પુત્રીના માથેથી પિતાની છત્રછાયા છીનવાઈ હતી. જો કે પ્રવીણસિંહે એક યુવાન સાથે પુત્રવધૂ ક્રિષ્નાનાં લગ્ન કરી પિતાની ભૂમિકા ભજવી પુત્રવધૂને અશ્રુભરી આંખે વિદાય આપી હતી.