29 આદિવાસી પરિવારનું 12 વર્ષ બાદ પુનર્વસન

Wednesday 23rd July 2025 05:54 EDT
 
 

વાવઃ દાંતામાં 12 વર્ષ બાદ 29 આદિવાસી પરિવારની ઘરવાપસી થઈ. 29 કોદરવી પરિવારના 300 જેટલા સભ્યોનું ગુરુવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પુનર્વસન કરાવ્યું હતું. મોટા પિપોદરા ગામે 12 વર્ષ પહેલાં ‘ચડોતરું’ નામના કુરિવાજના કારણે આ પરિવારો અન્ય જગ્યાએ વિસ્થાપિત થયા હતા. સંઘવીએે ‘એકતા એ સમાજનો સાચો અવતાર, અંધકારનો ભાર’ તક્તિનું અનાવરણ કરી બે સમાજના આગેવાનોને એક કર્યા હતા અને વિસ્થાપિત આદિવાસીઓને કુમકુમ તિલક સાથે ગૃહપ્રવેશ કરાવ્યો હતો.


comments powered by Disqus