બન્નીના મેદાનોમાં ‘વનતારા’ના સહયોગથી 20 ચિત્તલ વસાવાયાં

Wednesday 23rd July 2025 05:54 EDT
 
 

ભુજઃ કચ્છમાં બન્નીનાં ઘાસિયા મેદાનોમાં વન્યજીવનના વૈવિધ્યને સહાયરૂપ થવા ‘વનતારા’ના સહયોગથી 70 હેક્ટરના સંરક્ષિત વિસ્તારમાં 20 ચિત્તલ (સ્પોટેડ ડિયર)ને આયોજનબદ્ધ રીતે વસાવ્યાં છે. આ સહયોગી પહેલનો ઉદ્દેશ એશિયાના સૌથી મોટા ઘાસિયા મેદાનોમાં એક એવા એવા બન્નીમાં જૈવવિવિધતાને મજબૂત કરવાનો છે. વનતારાની અલાયદી સંરક્ષિત ફેસિલિટીથી સ્થળાંતરિત હરણોને ખાસ એમ્બુલન્સમાં કચ્છ લવાયાં હતાં. આ હરણોને છોડવાની પ્રક્રિયા વનવિભાગના સીધા નિરીક્ષણ હેઠળ કરાઈ હતી, જેમાં વનતારા દ્વારા સ્થાપિત સંરક્ષણ નિયમો અનુસાર પ્રક્રિયાને સરળ બનાવવા માટે તકનિકી અને સંસાધનોની સહાય પૂરી પડાઈ હતી.


comments powered by Disqus