અમદાવાદઃ એર ઇન્ડિયાની પ્લેન દુર્ઘટના બાદ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન- DGCA એ ઉડ્ડયન સલામતી અંગે કાર્યવાહી શરૂ કરી દીધી છે. DGCA એ એર ઇન્ડિયાને ડિવિઝનલ વાઇસ પ્રેસિડેન્ટ સહિત તેના 3 અધિકારીને ક્રૂ શેડ્યુલિંગ અને રોસ્ટરિંગ સંબંધિત તમામ ભૂમિકા અને જવાબદારીથી દૂર કરવા આદેશ આપ્યો છે.
DGCAએ 20 જૂને પોતાના આદેશમાં એર ઇન્ડિયાને આ અધિકારીઓ સામે તાત્કાલિક આંતરિક શિસ્ત કાર્યવાહી શરૂ કરવા પણ જણાવ્યું. DGCAના આદેશ મુજબ આ 3 અધિકારીમાં એરલાઇનના એક ડિવિઝનલ વાઇસ પ્રેસિડેન્ટનો પણ સમાવેશ
થાય છે.