વડોદરાઃ પારૂલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડો. દેવાંશુ પટેલ તથા તેમની સાથે યુનિવર્સિટીના 11 જેટલા પ્રોફેસર લંડનમાં પેપર પ્રેઝન્ટેશન બાદ પરત અમદાવાદ આવ્યા હતા. ડો. દેવાંશુ પટેલે જણાવ્યું કે, અમે જે ફ્લાઈટમાં આવ્યા તે પ્લેન સવારે 9:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થવાનું હતું, તેને બદલે 12 વાગ્યે લેન્ડ થયું હતું. આ જ ફ્લાઇટ પરત જવા માટે બપોરે 1:38 વાગ્યે ટેકઓફ થયું અને 1:40 વાગ્યે ક્રેશ થયું. મને પાછળથી ખબર પડી કે જે સીટ 2-ડી પર હું બેઠો હતો, તે જ સીટ પર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી બેઠા હતા. સ્વપ્નદૃષ્ટા નેતા વિજય રૂપાણીના અકાળ અવસાન વિશે જાણીને ખૂબ જ દુઃખી છું. જો પ્લેન લંડનથી આવતાં ક્રેશ થયું હોત તો મારું નામ પણ મૃતકોની યાદીમાં હોત.