બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી સાથે ભગવાન જગન્નાથ અષાઢી બીજે 27 જૂને નગરચર્યાએ નીકળશે ત્યારે જે વાઘા પહેરશે એ વાઘા બનાવનારા સુનિલભાઈ વાઘાવાળા દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. સુનિલભાઈ સતત 22 વર્ષથી ભગવાનના વાઘા તૈયાર કરે છે. આ વખતે રથયાત્રામાં પોલીસ 3200 સીસીટીવી, 80 ડ્રોનથી બાજનજર રાખશે, તો 17500 પોલીસકર્મીઓ, 2500 પેરા મિલિટરી ફોર્સના જવાનો તેમજ અન્ય સુરક્ષાકર્મીઓ સહિત 20 હજાર જવાનો ખડાપગે રહેશે. રથયાત્રામાં 18 ગજરાજ, 30 અખાડા, 108 ભજન મંડળી અને 108 ટેબ્લો જોડાશે. સુરક્ષા હેતુ મંદિર ટ્રસ્ટ દ્વારા જગન્નાથ મંદિરનો રૂ. 1 કરોડનો વીમો લેવાયો છે.