વેરાવળનાં દંપતીના મૃતદેહ પહોંચતાં સૌ હિબકે ચડ્યા

Wednesday 25th June 2025 06:08 EDT
 
 

વેરાવળ: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વેરાવળમાં રહેતા બીએસએનએલના નિવૃત્ત કર્મચારી રાજેશભાઈ જીપુલિયા અને તેમનાં પત્ની ભાવના જીમુલીયાના મૃતદેહોને ડીએનએ મેચ બાદ પરિવારને સોંપવામાં આવ્યા હતા. સાતમા દિવસે મૃતદેહ સોંપવામાં આવતાં જિલ્લા વહીવટી તંત્રની ટીમ અને પરિવારજનો ખાસ એમ્બુલન્સ મારફતે મૃતક દંપતીના મૃતદેહને તેમના નિવાસસ્થાને લવાયા હતા. લંડનથી દોડી આવેલા મૃત દંપતીના પુત્ર ઉત્સવ અને પુત્રવધૂએ ભાવવિભોર થઈ માતા-પિતાને કાંધ આપી અંતિમ વિદાય આપી હતી, જ્યારે લંડનમાં રહેતી તેમની પુત્રી રિહિમ વીડિયો કોલ દ્વારા માતા-પિતાની અંતિમવિધિમાં સહભાગી થઈ હતી.


comments powered by Disqus