હાટકેશ્વર મંદિરનું 2000 વર્ષ જૂનું શિખર સુવર્ણમય બન્યું

Wednesday 26th March 2025 05:59 EDT
 
 

મહેસાણાઃ વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરના સુવર્ણ શિખરનું અને નવનિર્મિત યજ્ઞશાળાનું 24 માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અનાવરણ કરાયું. મંદિર ટ્રસ્ટના પ્રમુખ નિખિલ વ્યાસના જણાવ્યા અનુસાર દાતાઓ અને મંદિર ટ્રસ્ટના સહયોગથી 1400 ગ્રામ સોનાનું શિખર તૈયાર કરાયું છે. આ સાથે મુખ્યમંત્રીએ યજ્ઞશાળા અને લાઇટ-સાઉન્ડ શોનું પણ લોકાર્પણ કર્યું હતું.
રાજસ્થાનના ધોલપુરના પથ્થરથી બનાવવામાં આવેલી આ યજ્ઞશાળામાં સિમેન્ટ અને કોંક્રિટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ભવિષ્યમાં અહીં હવન અને યજ્ઞ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાશે.


comments powered by Disqus